Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કુવાડવા રોડ પર સ્પીડ બ્રેકરને કારણે એસટી બસમાં ચાર મજુરો સીટ પરથી ફંગોળાઇ ગયા

છોટાઉદેપુરના મજૂરો જુનાગઢ જતા'તાઃ સારવાર લેવી પડી

રાજકોટ તા. ૩: કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે એસટી બસ સ્પીડ બ્રેકર પર ઉછળતાં અંદર બેઠેલા પૈકીના ચાર મજૂરો સીટ પરથી ઉછળીને ફંગોળાઇ જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

છોટાઉદેપુરના કવાટના સન્યાસ ગોસલીયાભાઇ રાઠવા (ઉ.૩૫), પ્રવિણ તેજસિંહ રાઠવા (ઉ.૨૦), મહેશ રમણભાઇ નાયક (ઉ.૩૫) અને જશીબેન જતનભાઇ રાઠવા (ઉ.૩૧) કવાટથી જુનાગઢ રૂટની એસટીમાં બેસીને આવતા હતાં ત્યારે મોડી રાતે બસ રાજકોટ કુવાડવા રોડ ડી માર્ટ પાસે પહોંચી એ વખતે સ્પીડ બ્રેકર પર બસ ઉછળતાં આ ચારેય સીટ પરથી ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં દાખલ કરવા પડ્યા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(2:41 pm IST)