Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

શહેરમાં બપોર સુધીમાં ૨૦ કેસ

કુલ ૧૬,૪૨૬ લોકો કોરોનાની ઝપટે ચડયા હતાઃઆજ દિન સુધીમાં ૧૬,૦૧૧ દર્દીઓ સાજા થતા રિકવરીરેટ ૯૭.૫૯ ટકા

રાજકોટ, તા.૬:  વૈશ્વિક મહામારી કોરોનાબપોર સુધીમાં ૨૦ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૬,૪૨૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૬,૦૧૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૭.૫૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૩૯૭  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૨૯ ટકા થયો  હતો. જયારે ૪૪  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૦૩,૩૯૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૪૨૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૨ ટકા થયો છે.

(2:55 pm IST)