Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શહેરમાં બપોર સુધીમાં ૧૪ કેસ

કોરોનાનો કુલ આંક ૧૬,૫૨૯એ પહોંચ્યોઃઆજ દિન સુધીમાં ૧૬,૧૦૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરીરેટ ૯૭.૫૨ ટકા

રાજકોટ, તા.૮:  વૈશ્વિક મહામારી કોરોનાના બપોર સુધીમાં ૧૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૬,૫૨૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૬,૧૦૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૭.૫૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૦૭૯  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૩૮ ટકા થયો  હતો. જયારે ૫૪  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૦૫,૭૬૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૫૨૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૩ ટકા થયો છે.

(5:04 pm IST)