Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મુકેશભાઇ મેરજાના જન્મદિવસે સેવા કાર્ય

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઇ મેરજાના જન્મદિવસની અનોખી સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. મહિલા આશ્રમ ખાતે 'દરીદ્રનારાયણ ૫૬ ભોગ' પીરસવામાં આવ્યા હતા. એટલુ જ નહીં તમામને સ્નેહભીની ભેટ પણ આપવામાં આવી. તમામના આરોગ્યની તપાસ કરી જરૂર હોય તેઓને દવાનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતુ. આ સેવા કાર્યમાં વિભાબેન મેરજા, ગીતાબેન પટેલ, ડો. વી. એન. પટેલ, દીપકભાઇ, નાથાભાઇ વગેરે સહભાગી બન્યા હતા. લોકડાઉન દરમિયાન પણ મુકેશભાઇ મેરજા (મો.૯૪૨૬૭ ૩૭૨૭૩) ના નેતૃત્વમાં ઉકાળા અને દવા વિતરણ તેમજ જરૂરતમંદો માટે ફુડપેકટસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(2:55 pm IST)