Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઘંટેશ્વરના એસઆરપીમેનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું

સુભાષભાઇ ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતાં ગ્રુપ-૧૩ના કોન્સ્ટેબલ સુભાષભાઇ બીજલભાઇ ચાવડા (ઉ.વ.૫૦)નું બેભાન હાલતમાં મૃત્યુ નિપજતાં પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

સુભાષભાઇ ઘરે બેભાન થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. તેઓ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. મુળ ઉપલેટાના કોલકીના વતની હતાં. તેમને બિમારી હોઇ સારવાર પણ ચાલુ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)