Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

IPLના ફાઈનલમાં રાજકોટના ૧૫ થી ૧૭ બુકીઓ ૩૫ કરોડમાં ધોવાયા ! : પન્ટરો ગેલમાં

પ્રારંભે મુંબઈનો ભાવ ૭૦ પૈસા ખુલ્યો હતો, ઘટ્યા બાદ ફરી ઉંચકાયો

રાજકોટ : આઈપીએલનો ફાઈનલ મુકાબલો મુંબઈ અને દિલ્હી વચ્ચે ગઈસાંજે રમાયો હતો. જેમાં રાજકોટના બુકીઓ ધોવાયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં મોટાભાગના પન્ટરોએ મુંબઈ તરફ જ રૂપિયા લગાવ્યા હતા. મેચના પ્રારંભે ૭૦ પૈસાનો ભાવ ખુલ્યો હતો. ત્યારબાદ મુંબઈના દાવમાં પણ પ્રારંભે વિકેટ પડતા ભાવ ગગડ્યા બાદ ફરી વધી ગયો હતો. રાજકોટના ૫૦૦ થી ૭૦૦ જેટલા પન્ટરોએ તો પ્રારંભથી જ મુંબઈની તરફેણમાં રૂપિયા લગાવ્યા હતા. આમ, રાજકોટના ૧૫ થી ૧૭ જેટલા બુકીઓના ૩૫ કરોડ જેટલા રૂપિયાનું ધોવાણ થઈ ગયુ હતું. એકબાજુ પન્ટરો કમાતા ફટાકડા પણ ફોડ્યા હોવાનું જાણવા મળે છે તો બીજી બાજુ બુકીઓને રોવાનો વારો આવ્યો હતો.

(3:40 pm IST)