Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ચંદ્રકાંતભાઈ શેઠની તબિયતમાં સુધારો : સાધુ-સાધ્વીજીઓ, વિજયભાઈ, અંજલિબેન, વજુભાઈએ ખબર પૂછી

રાજકોટ, તા.૧૨: જૈન અગ્રણી અને વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાંતભાઈ શેઠને ગઈકાલે કોરોના પોઝિટિવ હોવાનુ જાહેર થતા તેઓ પેટ્રીયા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ.

દેવ,ગુરુ અને ધર્મની અસીમ કૃપાથી ચંદ્રકાંતભાઈ શેઠની તબિયતમાં સુધારો છે.

ચંદ્રકાન્તભાઈના આરોગ્યની પૃચ્છા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, કર્ણાટકના ગર્વનર શ્રી વજુભાઇ વાળા, જૈન સમાજના ચારેય ફિરકાઓના ઉપકારી પૂ.સંત - સતિજીઓ, જૈન સમાજના તથા સામાજિક સંસ્થાઓના સેવાભાવી અગ્રણીઓએ ખબર - અંતર પુછી શીઘ્રાતિ શીઘ્ર સ્વસ્થતાને પ્રાપ્ત કરો તેવી શુભ કામનાઓ પાઠવેલ.

(3:00 pm IST)