Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સોરઠીયા રજપુત સમાજ દ્વારા રકતદાન કેમ્પઃ રકતની ૬૦ બોટલ એકત્ર

રાજકોટઃસોરઠિયા રજપૂત યુવા શકિત ગ્રુપ રાજકોટ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે સિવિલ હોસ્પિટલના માધ્યમથી આયોજીત રકતદાન કેમ્પમાં ૬૦ જેટલા રકતદાતાઓએ પોતાનું લોહી દાન કરી માનવતાની મિશાલ પૂરી પાડી હતી. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કાર્યક્રમ આયોજીત કરવા બદલ સોરઠિયા રજપુત સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ ચૌહાણે તમામ કાર્યકરોનો અભિનંદન પાઠવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત યુવા શકિતના પ્રમુખ મુકુંદભાઈ રાઠોડ સોરઠીયા રજપૂત યુવા શકિત રાજકોટના પ્રમુખ પ્રતાપભાઇ ચૌહાણ , નિલેશભાઈ સોલંકી, ભાવેશભાઈ વાઘેલા અતુલભાઈ રાઠોડ,દિવ્યેશભાઈ પરમાર ,મુકેશભાઈ મકવાણા, આકાશભાઈ ચૌહાણ, વિમલભાઈ હાડા, દેવાંગભાઈ ડોડીયા, ,શૈલેષભાઈ ચૌહાણ,અભયભાઈ ચૌહાણ, ચિરાગભાઈ પરમાર,વિરેન્દ્રભાઈ ડાભી,અજયભાઈ પરમાર,મિલનભાઈ રાઠોડ,મુકેશભાઇ ચાવડા,હર્ષદ સરવૈયા,ધ્યેય સોલંકી, આદિત્ય રાઠોડ,જયદીપ હાડા,નિરલ ચૌહાણ એ જહેમત ઉઠાવી હતી.

(4:22 pm IST)