Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કાલથી રાજકોટ દિવ અને રાજકોટ મંદોર એસટી બસ શરૂ થશેઃ દિવ માટે ખાસ સ્લીપર કોચ

રાજકોટ, તા., ૧૬: રાજકોટ એસટી ડીવીઝનના અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ આવતીકાલથી રાજકોટ-દિવની બસ શરૂ થશે.

તેમણે જણાવેલ કે રાજકોટ-દિવની આ બસ સ્લીપર કોચ રહેશે જે જુના બસ પોર્ટ ઉપરથી બપોરે ૧૧.૪પ વાગ્યે ઉપડશે અને દિવથી આ બસ સવારે  ૪.૪પ વાગ્યે રાજકોટ આવવા રવાના થશે. આ બસમાં અન્ય રૂટ જુનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના બસ સ્ટોપ અપાયા છે.

આ ઉપરાંત કાલથી રાજકોટ એસટી ડીવીઝન એમપીના બોર્ડર ઉપર આવેલુ મંદોરની રાજકોટ-મંદોર બસ પર પ્રાંતીઓ માટે ખાસ શરૂ કરાઇ રહી છે. જે રાજકોટથી રાત્રે ૯ વાગ્યે અને મંદોરથી સાંજે ૬ વાગ્યે ઉપડશે જે નવા બસ પોર્ટ ઉપરથી મળશે.

(4:00 pm IST)