Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

નાકરાવાડીમાં ગટરનું પાણી ઉડતાં ધ્યાન રાખવાનું કહેતાં માતા-પુત્ર પર હુમલોઃ ઘરમાં પથ્થરમારોઃ વાહનમાં તોડફોડ

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ સાત હનુમાન નજીક નાકરાવાડીમાં રહેતાં જયશ્રીબેન (જશુબેન) જીગરદાન પાલીયા (ગઢવી) (ઉ.વ.૩૫) તથા તેમના પુત્ર ગોૈતમ (ઉ.વ.૧૭) પર ભરત ભરવાડ તથા બીજા ચાર અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી ગાળો દઇ મારકુટ કરતાં તેમજ ઘરમાં સોડા બોટલોના અને પથ્થરના ઘા કરતાં માતા-પુત્રને ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ભરત ભરવાડ બોલેરો લઇને નીકળતાં ગટરનું પાણી જયશ્રીબેનને ઉડતાં તેને ધ્યાન રાખીને વાહન હંકારવા કહેતાં ભરત સહિતનાએ હુમલો કર્યો હતો. એકટીવામાં તોડફોડ પણ કરી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:49 pm IST)