Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સીતાજી આવાસ યોજનામાં પાણીનાં ધાંધીયા

રાજકોટ :.. શહેરનાં અંબિકા ટાઉન શીપ પાસે આવેલ મ.ન.પા.ના સીતાજી ટાઉનશીપમાં છેલ્લા ઘણા સમયની પાણીના ટેન્કર અનિયમત આવતા હોવાની લતાવાસીઓમાં દેકારો બોલી ગયો હતો. આ અંગે વિસ્તારવાસીઓનાં જણાવ્યા મુજબ સીતાજી ટાઉનશીપમાં રપ૦ ફલેટ ધારકો રહીએ છીએ. અહીં બે દિવસે એકવાર ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ટેન્કરો અનિયમીત આવે છે. જેના કારણે પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્ને તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં સમસ્યા ઉકેલાય નથી. અંગે યોગ્ય કરવા માંગ કરી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:24 pm IST)