Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ભેળસેળ અટકાવવાના અધિનિયમ હેઠળના ટ્રેડમાર્ક-કોપીરાઇટ ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ૧૯: અમુલ ઘી તથા ગોપાલ ઘી, ડવ શેમ્પુ, મીરાજ તંબાકુ, બાગબાન તંબાકુ, સર્ફ એકસેલ પાઉડર તથા સર્ફ એકસેલ સાબુનો બનાવટી માલ સામાન બનાવતા અને વેચાતા ખોરાકમાં ભેળસેળ અટકાવવાનો અધિનીયમ, ટ્રેડમાર્ક તથા કોપીરાઇટના ગુના અનુસંધાને ફરીયાદ થતાં પ્રકાશકુમાર કાનાબારને આગોતરા જામીન પર મુકત કરતા રાજકોટ સેશખ્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામની ટુંકમાં હકિકત એવી છે કે, શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઘી, શેમ્પુ, ડીટરજન્ટ પાવડર અને તમાકુનો ધીકતો ધંધો ચાલતો હોવાની માહીતીના આધારે યુનિવર્સિટી રોડ પોલીીસ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડા પાડી અમુલ-ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘી તેમજ ડવ શેમ્પુ, મીરાજ-બાગબાન તમાકુ અને સર્ફ એકસેલ પાવછડર અને સાબુનો દોઢ લાખની કિંમતનો મુદામાલ ઝડપી ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪ર૦, ર૭ર, ૪૮ર, ૪૮૩, ૪૮૬, ૧ર૦-બી, ૩૪ તથા ખોરાકમાં ભેળસેળ અટકાવવાનો અધિનીયમ કલમ-૧૬(૧)(એ), ૧૬(૧)(એ)(I), ૧૬(૧)(એ)(II) તથા ટ્રેડમાર્ક એકટ-૧૦ર(ર)(એ), ૧૦ર(ર)(બી), ૧૦૩, ૧૦૪ તથા કોપીરાઇટ એકટ કલમ-પ૧, ૬૩ મુજબનો ગુનો નોંધાયેલ છે. જેમાં આરોપી તરીકે કુલ-૮ વ્યકિતઓ સામે ગુનો નોંધેલ હોય. જેમાંથી ૭ વ્યકિતઓની અટક કરેલ છે. જેમાંના ૭ આરોપીઓને કોર્ટે જામીન પર મુકત કરેલ હોય. તેમજ અન્ય આરોપી પ્રકાશકુમાર કાનાબારની રાજકોટની સેશન્સ કોર્ટમાં શ્રી ચેતનભાઇ પજવાણી તથા રાકેશભાઇ દોશી દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ.

આ કામે પબ્લીક પ્રોસીકયુટર દ્વારા જામીન અરજીનો વિરોધ કરેલ તેમજ બંને પક્ષોને સાંભળી કોર્ટે આ કામના આરોપીને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામના આરોપી પ્રકાશકુમાર અમૃતલાલ કાનાબાર વતી રાજકોટના વકીલ ચેતનભાઇ પજવાણી, રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી તથા વૈભવ કુંડલીયા રોકાયેલ હતા.

(2:48 pm IST)