Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જાણીતા કાર્ડયોલોજીસ્ટ ડો. જયદીપ દેશાઇ કોરોનાથી સંક્રમિત થયા

રાજકોટ તા. ૧૮ : વોકહાર્ટ હોસ્પિટલના જાણીતા હૃદયરોગ નિષ્ણાંત ડો. જયદીપ દેશાઇ કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે. હાલ તેમની તબીયત સારી છે.  કોરોનાના કહેરમાં અનેક લોકો ઝપેટમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ દર્દીઓની સારવાર કરનાર તબીબો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. રાજકોટમાં ૧૫૦થી વધુ તબીબો કોવિડ-૧૯ પોઝિટિવ છે. તેમાંથી ૧૦૦થી વધુ તબીબો ફરી ફરજ પર હાજર થયા છે.

(4:39 pm IST)