Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઇસ્કોન મંદિર પાછળ બની રહેલા કવાર્ટરની સાઇટ પર પાંચમા માળેથી પટકાતાં મજૂરનું મોત

મુળ બિહારના મોહમ્મદ નુરેજ શેખએ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ નવા બનતાં કવાર્ટરની સાઇટ પર પાંચમા માળે કામ કરતી વખતે પડી જતાં મુળ બિહારના મજૂર યુવાનનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર નજીક મુખ્યમંત્રી આવાસ કવાર્ટર નં. ૩૩માં રહેતો અને આ સાઇટ નવી બની રહી હોઇ અહિ જ  કડીયા કામ  કરતો હતો ત્યારે પાંચમા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

(12:54 pm IST)