Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્દિરાજી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પ્રતિમાને પુષ્પાંજલી

ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.શ્રી ઇન્દિરા ગાંધીની ૧૦૩મી જન્મજયંતી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ૧૯૨મી જન્મજયંતિ નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના  પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર,  રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદીપભાઈ ત્રિવેદી, ડાઙ્ખ યજ્ઞેશભાઈ જોશી, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દિનેશભાઇ મકવાણા, રજતભાઈ સંદ્યવી, કિશોરસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ દ્યરસંડિયા, દિનેશભાઇ પટોળીયા, વિજયભાઈ જાની, કોંગ્રેસ આગેવાનો  ભરતભાઈ મકવાણા, દાનાભાઇ હુંબલ, વિભાભાઇ આહીર, પ્રવીણભાઈ મૈયડ,  ગજુભાઈ ઝાલા, અર્જુનભાઈ ગુજરીયા, સંકેતભાઈ રાઠોડ, વાલજીભાઇ બથવાર, ડાયાભાઇ શેઠિયા, પ્રવીણભાઈ પરમાર,  દિપ્તીબેન સોલંકી, શાંતાબેન મકવાણા, હિતાબેન વડોદરિયા, સરોજબેન રાઠોડ, હિરલબેન રાઠોડ, ફ્રન્ટલ-સેલના ચેરમેનો, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડીયા, રાજકોટ મહાનગરપાલિકા ના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ અને કાર્યકરો ભાઈઓ-બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)