Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

૭૯ વર્ષના હરિભાઇ પણ સિવિલમાં શ્રેષ્ઠ સારવારથી થયા કોરોના મુકત

રાજકોટ,તા. ૨૦:  સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.

હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને કબજિયાતની તકલીફ રહેતી હતી. રાજકોટના બે જેટલા ખાનગી તબીબો પાસે હરિભાઇએ પોતાની બિમારીની સારવાર કરાવી હતી. જેમાં વિવિધ ટેસ્ટની સાથે કોરોનાનો રિપોર્ટ પણ કરાવ્યો. રિપોર્ટ પોઝિટીવ આવતા ખાનગી તબીબે હરિભાઇને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા માટે ભલામણ કરી. જેથી તેઓ સિવિલમાં કોરોના ટેસ્ટ ફરી કરાવ્યો. ત્યાં પણ રિપોર્ટ ફરી પોઝિટીવ આવ્યો. જેથી બે દિવસ તેઓને સિવિલ હોસ્પિટલમાં અને પાંચ દિવસ સુધી સમરસ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. અહિ ખુબ સારી સારવારથી તેઓ કોરોનામુકત થયા છે.

(2:56 pm IST)