Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હરસ થવાના મુખ્ય કારણ કબજીયાત

ર૦ નવેમ્બર- પાઇલ્સ-ડે : હરસ-મસા રોગ વિશે જાણીએ અને તેનાથી બચીએ

આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે પાઇલ્સ ડે નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોકટોલોજીસ્ટ મળ માર્ગના નિષ્ણાંત ડો. એમ. વી. વેકરીયા, હરસ, મસા-પાઇલ્સ વિષે આપણને વિશેષ સવિસ્તાર તેના થવાના કારણો, તેના લક્ષણો, હરસથી બચવાના અને ન થાય તે માટેની પરેજી, તેની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમા પ્રવર્તી રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રધ્ધા વિશે સચોટ માહિતી આપશે. ડો. એમ. વી. વેકરીયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરિકન અલ્ટ્રાસોનિક હાર્મોનીક ફોકસ જર્મન ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન જાપાનીઝ હેલ-સ્ટેપર, વેસલ સીલર, લેસર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવિષ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધારેલ છે.

  • હરસ મસા એટલે શું ?

આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજબરોજ કબજીયાતના પ્રેસરના કારણે તેમજ લાઇફ સ્ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળમાર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ ફુલાઇને ગંઠો આચળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે.  હરસ-મસા એ મળમાર્ગમાં થતો અતિકષ્ટકાયમ વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્યઃ દુઃખાવો, બળતરા તથા લોહી પડે છે. આ આચળ ગઠાને આપણે ગુજરાતીમાં હરસ-મસા-હીન્દીમાં બવાસીર - સંસ્કૃતમાં અર્શ અંગ્રેજીમાં પાઇલ્સ મેડીકલમાં હેમોરોઇડસ લેટીનામાં પીલા કહેવાય છે.

  • હરસ થવાના કારણો

કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવા, બંધ કરવા, આજની લાઇફસ્ટાઇલ, મળમાર્ગન રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફ્રુટ, સુપ, જુસ વધારે લેવા. તેમજ પાન, બીડી, તમાકુ, ફાકી બંધ કરવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમતું અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાકની અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકફુડનું વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ, તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.

  • હરસ-ફીશર ભગંદરમાં જોવા મળતા સામાન્ય લક્ષણો

* મળત્યાગ વખતે મળમાર્ગમાં દુઃખાવો, બળતરા અથવા રકતસ્ત્રાવ થવો.

* સંડાસ જતી વખતે આચળ જેવો કંઇક બહાર નીકળવો.

* કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો.

* બેસવામાં તકલીફ થવી. દુઃખાવો થવો.

* મળમાર્ગમાં ખંજવાળ આવવી, રસી નીકળવા, ચીકાસ આવવી કે ભીનું લાગવું.

* વારંવાર મળમાર્ગની આસપાસ ગડગુમડ જેવું થઇને રસી નીકળવી.

* વારંવાર મરડો અથવા ઝાડા થવા

* સંડાસ માટે કાયમી જુલાબ કે રેચક દવા લેવાની જરૂર પડે છે

* ભુખ ન લાગવી, જમ્યા પછી પેટમાં ભારે લાગવું, ગેસ ટ્રબલ રહેવી, શરીર આંખું દુઃખે, પીડીમાં કે કમરમાં દુઃખાવો રહેવો.

* મળત્યાગ કંટ્રોલ ન હોવો, લાંબા સમયે મળમાર્ગ નબળો પડવો.

હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સૂચનો : જરૂરી પરેજી

*મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં.

*કાયમ કોઇ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવી એ અત્યંત હાનિકારક છે.

*કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહીં.

*ભુખ લાગે ત્યારે ફળ અને શાકભાજી સુપાચ્ય આહાર પૂરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત અટકે છે.

*ઉકાળેલું કે ફીલ્ટર કરેલું પાણી રાત્રે સુતા પહેલા બે ગ્લાસ અને સવારે ઉઠીને નરણા કોઠે બે ગ્લાસ પીવું.

*દરરોજ સવારે એક વખત સંડાસ જવાની નિયમિત ટેવ પાડવી.

*સંડાસ જતા જોર ન કરવું, ઉંડા શ્વાસોશ્વાસ લેવા. થોડો સમય બેસવું. ઉતાવળ ન કરવી.

*દરરોજ સવારે બે થી ત્રણ કિલોમીટર ચાલવું.

*વધુ પડતો તીખો-તળેલો, ચીકણો, બેકરીનો અને કબજીયાત કરે તેવો ભારે આહાર લેશો નહીં.

*પાન, બીડી, તમાકુ, સોપારી, જર્દા, દારૂ લેવા નહીં.

*ઝાડો ચીકાશ વગર, બંધાયેલો કોઇપણ જાતની બળતરા કે દુઃખાવા વિના સંતોષપૂર્વક થાય એ સ્વાસ્થ્યની નિશાની છે.

*મળમાર્ગમાં રકતરત્રાવ, દુઃખાવો, બળતરા, ખંજવાળ આવે અથવા મળમાર્ગની આસપાસ ફોલ્લા અથવા ગડગૂંમડ થાય, રસી આવે, ચીકાશ આવે અથવા મળત્યાગ સમયે કોઇ ભાગ દેખાય તો તુરત નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી જોઇએ.

  • હરસ-મસા (પાઇલ્સ)ની સરળ - સચોટ વૈજ્ઞાનિક સારવાર :

એડવાન્સ ટેકનોલોજી ફોર પ્રોકટોલોજી

એડવાન્સ સાયન્સ પ્રમાણે નવીનવી ટેકનોલોજી દ્વારા સારવાર થાય છે. જેમાં હાલની સૌથી એડવાન્સ ટેકનોલોજી આ પ્રમાણે છે.

  • અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ (ઇથીકોન કંપની અમેરીકા):

અલ્ટ્રાસોનિક હાર્મોનિક ફોકસ સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે. જેની ડોઝાઇન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવો કોમ્પ્યુરાઇઝડ સોફ્ટવેર પ્રોગામ છે. જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફ્ટવેર પ્રોગામ તેમા અપડેટ થઇ શકે છે. એકદમ પરફેકટ અને માઇક્રો ડિસેકશન થઇ શકે છે. લાર્જ વેસલ-લોહીની નળીને પણ સીલીંગ કેપેસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્ય ફાયદા એ છે કે તેમાં અલ્ટ્રાસોનીક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુ મ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે, જેથી બ્લડ લોસ અને બર્નીંગ નહીવત થાય છે. અને હીલીંગ ઝડપથી થાય છે. બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી.

આ અતિ લેટસ્ટ મશીન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એસ્ટ્રોન ચોક ખાતે આવેલ સુશ્રૃત હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ખુબ જ સરળતાથી સફળતાપૂર્વક આ મશીનથી સારવાર અપાઇ રહી છે.

*PPH - [Prosiger for Prolapse Heamoroidal] — પ્રોસીજર ફોર પ્રોલેપ્સ પાઇલ્સ

* MIPH - [Minimize Invasive Prosiger for Heamoroidal] - મીનીમાઇઝ ઇન્વાસીવ પ્રોસીજર ફોર પાઇલ્સ

આ મશીન દ્વારા ફકત અંદરના ફોર્થ ડિગ્રીના મોટા હરસની સ્ટેપલીંગ એન્ડ કટીંગ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ મશીન સ્ટેપલર મશીન કહેવાય છે. જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા મશીન બનાવવામાં આવે છે. સ્ટેપલરની જેમજ અંદરના મોટા હરસને કાપીને બંને છેડાને સ્ટેપલરની જેમ ચોટાડી દેવામાં આવે છે. આ પધ્ધતીમાં ચાર મેજર કોમ્પલીકેશન થવાથી ઉપયોગ ઓછો થાય છે. હરસને આ મશીનથી બહારના મસાની સારવાર થતી નથી. તેના ચાર મેજર કોમ્પ્લીકેશન પણ થઇ શકે છે. જે આ પ્રમાણે છે.

(૧) એનોરેકટલ સ્ટેનોસીસ

(૨) પેલવીરેકટલ ફીશય્યુલા (ભગંદર)

(૩) પ્રોકુયુસ બ્લીડીંગ - વધારે પડતું લોહી પડવું.

(૪) ઇનકોન્ટીનન્સ-મળ ત્યાગનો કંટ્રલ જતો રહેવો.

  • DGUHAL (Dopal, guided Uttrasonic Heamoroidal Artery Ligation) હેલ ટેકનોલોજી

જાપાનનાં સર્જન ડો. કે. મોરી નાગાએ-૧૯૯પમાં હરસ-મસાના દર્દીની સારવાર માટે આધુનિક ટેકનીક મશીનની મદદથી હરસને પોષણ આપતી લોહીની નળીઓને અવાજના મોજાનની મદદથી શોધીને બંધ (લાઇગેશન) કરવામાં આવે છે. તેના માટે તેમણે એક નવું જ મશીનનું સંશોધન કર્યુ જેને ટુંકમાં HAL હેલ ટેકનોલોજી કહે છે. વિકસીત દેશોમાં ખુબ સફળ થયેલ છે. આ અમેરિકન જાપાનીઝ ટેકનીકથી હિમોરોડલ આર્ટરીને ડોપલર ગાઇડડ અલ્ટ્રા સોનીક મશીન દ્વારા લાઇગેશન કરવામાં આવે છે. જેનાથી અંદરના હરસ ધીમે ધીમે સુકાય જાય છે. નેફ્રોસીસ થઇ જાય છે. આના રીજલ્ટ ખુબ સારા છે. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.

I.R.C. (Infra red coagulation) જર્મન ટેકનીકથી હિમોરોડલ આર્ટરીને કોએગ્યુલેશન (લોહીની નળીને સુકવી નાખીને) હરસને પોક્ષણ-બ્લડ ન મળતા ધીમે ધીમે અંદરના હરસ સુકાઇ જાય છે. આ પ્રોસીઝરના રીઝલ્ટ પણ સારા છે. આમાં પણ બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી. વિકસીત દેશોમાં સરળ અને સફળ ટેકનોલોજી સાબિત થયેલ છે.

વેસલ-સીલર RFC-CO2 લેસર ટેકનીકથી બહારના મસાને નહીવત દુઃખાવાથી માઇક્રો કટીંગ સુધી કટ કરવામાં આવે છે. થોડા સમયમાં જ ઓપરેશન કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં ઇલેકટ્રીસીટીના લીધે બર્નીંગ થાય છે. રૂઝ થોડી ધીમી આવે છે. આ ટેકનોલોજીમાં ઇલેટ્રીસીટીના લીધે બર્નીંગ થાય છે. રૂઝ થોડી ધીમી આવે છે. અલ્ટ્રાસોનીક જેવા સારા પરિણામો મળતા નથી. તેથી વિકસીત દેશોમાં સ્વીકાર કે સ્વીકૃત થયેલ નથી.

  • આ સિવાય પહેલા ઉપયોગમાં લેવાતી સારવાર પધ્ધતિ જેવી કેઃ-

*સબમ્યુકોઝલ સ્કેલેરોજન્ટ ઇન્જેકશન * રબરબેન્ડ લીગેશન પધ્ધતિ, *ક્રાયો સર્જરી- નાઇટ્રોજન ગેસથી ઠંડા કરીને શીતદગ્ધથી હરસને સુકવવા * ક્ષારસુત્ર સારવાર-હરસને ક્ષારસુત્રથી હરસને મુળમાંથી બાંધવા *ઓપરેશન સર્જરી સારવાર વગેરે હરસ મસા માટે સારવાર પધ્ધતિ પ્રચલિત છે.

  • હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રર્વતતી પ્રચલીત ગેરમાન્યતા-અંધ શ્રધ્ધા

જેમ કે હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે. *ઘણા લોકો માનતા/દિવા માને છે *હરસને મંત્રાવે છે. મંત્રેલી ચા પીવે છે. *હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે. * હરસ ચેકીંગ વગર (તપાસ્યા વગર), દુઃખાવા વગર, ઓપરેશન વગર, પોસ્ટથી દવા મોકલવી જેવી લોભામણી જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દૂર રહેવું જોઇએ. કારણ કે તપાસ્યા વગર સારવાર કરવાથી ઘણી વાર-હરસ-મસા ન હોય અને બીજા ઘણા કારણોની -મળમાર્ગમાં લોહી પડે છે. જેમ કે આંતરડાનું અલ્સર, અલ્સેરેટીવ કોલોઇટીસ-લીવરના રોગ, કેન્સર, ફીશર જેવા ઘણા કારણોથી મળમાર્ગમાં લોહી પડે છે. તેથી તપાસ્યા વગર નિદાન કરાવ્યા સિવાય સારવાર લેવાથી ઘણા દર્દીઓ માટે ઘાતક નીવડે છે. * જાતે સેલ્ફ દવા લેતા હોય છે. ગામે ત્યાંથી જે તે દવા લેવી, ડોકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી *હરસની મંત્રની વિંટી પહેરે છે વગેરે.. * ચાલીને જવાની તારાપુર ચોકડી પાસે, મધરોલમાં પાણીમાં બેસાડીને હરસ ખેરી નાખવાની ખોટી માન્યતા ખુબ પ્રચલીત છે. વગેરે અંધ માન્યતાથી આપણે સમાજે દુર રહેવું જોઇએ.

આજના આધુનિક યુગમાં પણ હરસ -ફીશરના ઘણા દર્દીઓ-અનકવોલીફાઇડ ડોકટરો પાસે, એસીડ જેવા કેમીકલ લગાવીને ઓપરેશન કરાવે છે.

જેમાં ખુબ જ પીડાય છે અને ભગંદર જેવા કોમ્પ્લીકેશન થાય છે.

- ડો. એમ. વી. વેકરીયા

સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલ, રાજકોટ.

(3:29 pm IST)