Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પ્રથમ નોરતે પેલેસ રોડ પર શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શનના અભિલાષીઓ ઉમટ્યા

રાજકોટ : આજે આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ નોરતે માતાજીના દર્શનનો લ્હાવો લેવા અધિરા બનેલ ભાવિક ભકતોએ આજે સવારથી જ અહીંના પેલેસ રોડ પર આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે કતારો લગાવી હતી. સોશ્યલ ડીસ્ટન્સ અને સેનીટાઇઝની વ્યવસ્થા સાથે અહીં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભાવિકોએ સંયમ દાખગી ગીર્દી ન કરી સોશ્યલ ડીસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેવા મંદિર તરફથી અનુરોધ થયો છે. તસ્વીરમાં માતાજીનું તેજોમય સ્વરૂપ અને મંદિર બહાર ઉભેલા દર્શનના અભિલાષીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:31 pm IST)