Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

માનસીક બીમારીથી કંટાળી મુકતરાબેન મંડલનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

રામનાથ પરામાં બનાવઃ મહિલા સારવારમાં

રાજકોટ, તા., ૧૭: રામનાથ પરામાં રહેતી મહિલાએ માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા  તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. પ માં રહેતા મુકતરાબેન અબ્દુલભાઇ મંડલ (ઉ.વ.રર) સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરીવારજનો જોઇ જતા તેને તાકીદે ઉતારીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ છે. તેણે માનસીક બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કે.સી.સોઢાએ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)