Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાત્રી કર્ફ્યુના અમલ સાથે રંગીલા રાજકોટના રસ્તાઓ સુમસામ : મુખ્યમાર્ગો પર વાહનોની અવરજવર બંધ

કર્ફ્યુના અમલથી દિવસભર અને મોડીરાત્રે પણ ધમધમતા માર્ગો શાંત

રાજકોટ : રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારાને કારણે અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૫૭ કલાકના કરફ્યૂ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આજે રાત્રેથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થયો છે ત્યારે રંગીલા રાજકોટના રસ્તાઓ સુમસામ થયા છે વાહનોની અવરજવર બંધ પડી છે એકલ દોકલ વાહન સિવાય શહેરમાં મુખ્ય માર્ગો પર  કોઈપણ પ્રકારની અવર જ્વર થતી નથી દિવસભર અને મોડીરાત્રે પણ ધમધમતા માર્ગો શાંત પડ્યા છે

(10:25 pm IST)