Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજકોટને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ ૨૦૪ કરોડ ફાળવતા વિજયભાઇ

રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ વિકાસની બાબતમાં ઝડપભેર આગળ વધી રહયું છે. રાજકોટને વિકાસના પથ ઉપર અગ્રેસર બનાવવા મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી અંદાજિત રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ  કાર્યક્રમમાં રાજકોટને વિવિધ વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ રૂ.૨૦૪ કરોડ વિજયભાઇએ ફાળવવાની જાહેરાત કરી હતી. શહેરનાં કોઠારીયા ચોકડીથી આગળ તિરૂપતિ હેડવર્કસ ખાતે યોજાયેલ મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇએ ઉદ્દબોધનમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ મ.ન.પા. દ્વારા ખૂબ ઝડપથી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ૫૦૦ કરોડના કામો પુરા કરી ગાંધીનગર પહોંચુ ત્યાં ફોન આવે કે રાજકોટમાં બીજા કામો તૈયાર છે અમને તારીખ આપો. કોરોના નિયમોનું પાલન કરી સોસીયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી બેઠા છો માટે અભિનંદન આપ્યા હતા.

(1:25 pm IST)