Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

લગ્નની મંજૂરીને લઇને સરકારની નવી જાહેરાત: રાત્રી લગ્નનું આયોજન કરી શકાશે નહીં: દિવસે લગ્ન માટે પણ પોલીસની મંજૂરી લેવી આવશ્યક

આગોતરા આયોજિત લગ્ન પણ રાત્રી કરફ્યુ પહેલા પુરા કરવાના રહેશે

રાજકોટ : હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તે સમયે જ કરફ્યુની જાહેરાત થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે કે, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નનું આયોજન કરી શકાશે નહીં. તેમજ દિવસના લગ્ન માટે પણ પોલીસની મંજૂરી લેવી આવશ્યક રહેશે. સાથે જ આગોતરા આયોજિત લગ્ન પણ રાત્રી કરફ્યુ પહેલા પુરા કરવાના રહેશે
 

(11:11 pm IST)