Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાજકોટ આર.આર.સેલ.ના પાંચ પોલીસ કર્મચારીઓને જે તે જીલ્લામાં પરત કરાશે

સરકારના હુકમ બાદ ડીઆઇજી સંદીપસિંહ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., ૨૨: રાજયના તમામ રેન્જમાં કાર્યરત રેપીડ રીસ્પોન્સ સેલ (આરઆર સેલ) નો વિસર્જન કરવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલ જાહેરાત બાદ રાજકોટ આરઆરસેલમાં ફરજ બજાવતા વિવિધ જીલ્લાના પાંચ પોલીસ કર્મચારીઓને મુળ જીલ્લામાં પરત કરવા કાર્યવાહી કરાઇ છે.

રાજકોટ આર.આર.સેલમાં હાલ રાજકોટ ગ્રામ્યના-૧, દ્વારકા જીલ્લાના-ર, મોરબી-૧ તથા સુરેન્દ્રનગર  જીલ્લા પોલીસના ૧ કર્મચારી સહીત કુલ પાંચ કર્મચારીઓ ફરજ બજાવી રહયા છે. તમામ રેન્જમાં આર.આર.સેલનું વિસર્જન કરવાના મુખ્યમંત્રીના હુકમ બાદ આ તમામ પોલીસ કર્મચારીઓને તેના મુળ જીલ્લામાં પરત કરવા રાજય રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ દ્વારા કાર્યવાહી કરાઇ છે. રાજય સરકારના પરીપત્ર બાદ આ કાર્યવાહી કરાશે.

(3:51 pm IST)