Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજકોટમાં રોહીશાળાની કિર્તીનું બેભાન હાલતમાં મોતઃ અઢી મહિના પહેલા જ લગ્ન થયા હતાં

રાજકોટ તા. ૨૨: સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે ચાર માળીયા કવાર્ટરમાં રહેતી કિર્તીબેન રાકેશ પરમાર (ઉ.૨૦) નામની નવોઢા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. અઢી મહિના પહેલા જ તેણીના લગ્ન થયા હતાં.

કિર્તીબેન રાતે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ જાણ કરતાં પ્રાથમિક તપાસ પીએસઆઇ એ. બી. વોરાએ કરી હતી. લગ્નગાળો ખુબ ઓછો હોઇ આગળની તપાસ એસીપી પી. કે. દિયોરાને સોંપવામાં આવી છે.

કિર્તીબેન ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના માવતર ટંકારાના રોહીશાળા ગામે રહે છે. ભાઇ નિલેષભાઇ વાઘેલાએ કહ્યું હતું કે ફેફસામાં પાણી ભરાતાં ઇન્ફેકશન થઇ જતાં આમ થયાનો પોસ્ટ મોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(2:51 pm IST)