Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પરાપીપળીયાની એકતા સોસાયટીમાં અગરબત્તીના વેપારી પ્રફુલભાઇ ચૌહાણનો એસીડ પી આપઘાત

દુકાનેથી ઘરે આવ્યા બાદ પગલુ ભર્યુ : દેણુ કારણભુત હોવાની પોલીસને શંકા

રાજકોટ,તા.૨૩ : જામનગર રોડ પરાપીપળીયા ગામ પાસે એકતા સોસાયટીમાં રહેતા અગરબત્તીના વેપારીએ એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ પરાપીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતા અને અટીકામાં અગરબત્તીની દુકાન ધરાવતા પ્રફુલભાઇ દિલીપભાઇ ચૌહાણ (ઉવ.૫૦) ગઇકાલે બપોર દુકાનેથી ઘરે આવ્યા બાદ તેણે એસીડ પી લીધુ હતું.

તે ઉલ્ટીઓ કરવા લાગતા પત્ની સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા અને પોતે એસીડ પી લીધુ હોવાનું જણાવતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ રાહુલભાઇ વ્યાસ સહિતે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક પ્રફુલભાઇને સંતાનમાં બે પુત્રી છે. ધંધો બરાબર ચાલતો ન હોઇ દેણું થઇ જતા તેણે આ પગલું ભર્યુ હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

(3:29 pm IST)