Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દશેરા નિમિતે રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કિર્તન-ધ્યાનોત્સવ

સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કાર્યક્રમમાં સહભાગીતા માટે આધાર કાર્ડની ઝેરોક્ષ અનિવાર્ય

રાજકોટ :.. ઓશોના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમ જેવા કે ઓશો ધ્યાન શિબિર,ઓશો સન્યાસ ઉત્સવ, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ભજન-કિર્તન, ગીત-સંગીત,વિવિધ સંપ્રદાયોનો  ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩પ વર્ષોથી ઓશો કાર્યથી ધમધમ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર  અવાર-નવાર કાર્યક્રમનું આયોજન હોય છે.

આગામી તા. રપને રવિવારના રોજ દશેરા નિમિતે હર સાલની માફક દશેરા આ વખતે શિબીર કેન્સલ રાખેલ છે. જેને બદલે સાદાઇથી ઉજવવામાં આવશે. કાર્યક્રમનો સમય સાંજે ૬-૪પ થી ૭-૪પ દરમ્યાન દર્શરા ઉત્સવ, ધ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કરવામાં આવ્યું છે.

સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ.

વિશેષ માહિતી : સ્વામિ સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:18 pm IST)