Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભગવતીપરા તથા મોચીનગરમાં બનાવ

બેભાન હાલતમાં બિપીન સોલંકી અને મનહરલાલ પીઠડીયાનું મોત

રાજકોટ તા. ૨૪: ભગવતીપરા-૨૧માં રહેતાં બિપીનભાઇ વિનોદભાઇ સોલંકી (ઉ.વ.૩૫) નામના યુવાનને પગમાં સોજા ચડી જવાની બિમારી હોઇ રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં નાનો હતો અને ટાયરની મજૂરી કરતો હતો. તે અપરિણીત હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અન્ય બનાવમાં મોચીનગર-૨ શિતલ પાર્ક પાસે રહેતાં મનહરલાલ જમનાદાસ પીઠડીયા (ઉ.વ.૫૮) સાંજે ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:00 pm IST)