Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આયકર વિભાગમાં બદલીનો ઘાણવો ૧રપ થી વધુ અધિકારીઓની પરસ્પર બદલી

રાજકોટના જોશીને જુનાગઢ અને કાચાને જામનગર તો રોહિત વર્માની સુરત બદલી

રાજકોટ તા. ર૪ :.. લાંબા સમયથી રાહ જોયા બાદ ગઇકાલે રાત્રે આયકર વર્તુળ ગુજરાત દ્વારા ૧રપ થી વધુ અધિકારીઓની પરસપર બદલી કરવામાં આવી છે.

રાજકોટમાં ફરજ બજાવતા શ્રી સી. એમ. કાચાને જામનગર, શ્રી એચ. પી. જોશીને જૂનાગઢ અને શ્રી રોહિત વર્માની સુરત બદલી થઇ છે.

જયારે રાજકોટમાં મનીષ અજુડીયા, એમ. બી. પટેલ, સમીર મેકવાન, હરીશ મિતલ અને પ્રકાશ ભટ્ટ અને આદર્શ તિવારી સહિત રાજકોટ મુકાયા છે.

આવકવેરા વર્તુળોમાં જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષની બદલીની દરખાસ્ત કરવામાં આવી હતી. કોરોના તેમજ લોકડાઉનની સ્થિતીમાં પેન્ડીંગ રહેલ બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

(4:09 pm IST)