Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સરગમ કલબ દ્વારા સાદગીભેર નવરાત્રીની મહોત્સવની પૂર્ણાહુતિ

રાજકોટ : કોરોના મહામારી ધ્યાને લઇ સરગમ કલબ દ્વારા સરકારી ગાઇડ લાઇનને અનુસરીને સાદગીપૂર્ણ નવરાત્રીનું આયોજન કરાયુ હતુ. હેમુ ગઢવી હોલ ખાતે માતાજીની પ્રતિમાની સ્થાપના કરી દરરોજ વિવિધ ક્ષેત્રના આગેવાનોના હસ્તે આરતી કરવામાં આવી હતી. પ્રથમ નોરતે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજજી બાવાશ્રીએ આરતી સાથે નવરાત્રી પ્રારંભ કરાવેલ. શકિતની ભકિતના આ કાર્યમાં સરગમ લેડીઝ કલબની બહેનો અને જેન્ટસ તથા લેડીઝ કલબના હોદેદારો સામેલ થતા હતા. નવમા નોરતે અને દશેરાના દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. દરેક માટે જલેબી અને સહીત સ્વાદીષ્ટ પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. આ કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, મંત્રી મૌલેશભાઇ ઉકાણી, ખજાનચી સ્મિતભાઇ પટેલ, લેડીઝ કલબના પ્રમુખ નિલુબેન મહેતા, ઉપપ્રમુખ જસુમતીબેન વસાણી, સરગમના સલાહકાર સમિતિના સભ્ય કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જયોતિબેન રાજગુરૃ, જયશ્રીબેન સેજપાલ, મિતેનભાઇ મહેતા, રમેશભાઇ અકબરી, ગીતાબેન હિરાણી, મનસુખભાઇ ધંધુકીયા, ડી. વી. મહેતા, કુંદનબેન રાજાણી, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રસિંહ જાડેજા, છાયાબેન દવે, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, વંદનાબેન પાણખાણીયા, સીંગર સોનલ ગઢવી વગેરેએ જહેમત જોડાયા હતા.

(4:30 pm IST)