Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

૧ લી નવેમ્બરથી ૧ લાખ રપ હજાર બીપીએલ અને એએવાય કાર્ડ હોલ્ડરોને રાહત ભાવે કપાસીયા તેલ-ખાંડ અપાશે

૧ લીટર પાઉચ રૂ. પ૦ના ભાવે તો ૧ કિલો ખાંડ અંત્યોદયને રૂ. ૧પ અને બીપીએલને રૂ. રર લેખે આપવા સુચના

રાજકોટ, તા., ૨૭: આગામી દિપાવલી તહેવાર અનુલક્ષીને ૧ લી નવેમ્બરથી રાજય સરકાર બીપીએલ અને એએવાય કાર્ડ હોલ્ડરોને રાહતભાવે કાર્ડ દીઠ ૧ લીટર કપાસીયા તેલ અને ૧ કિલો ખાંડ વધારાના અપાશે.

આ અંગે પુરવઠા ખાતાના સુત્રોના જણાવ્યા મુજબ ૧ લી નવેમ્બરથી રાજકોટ શહેર-જીલ્લાના ૧ લાખ ર હજાર ૮૧પ કાર્ડ હોલ્ડરોને અને રર૬પ૧ એએવાય કાર્ડ હોલ્ડરોને કપાસીયા તેલ ૧ લીટર પાઉચ રૂ. પ૦ના ભાવે અપાશે. આ માટે પુરવઠા નિગમના ગોડાઉન ઉપર તેલ પહોંચી ગયા બાદ દુકાનો માટે લીફટીંગ શરૂ કરી દેવાયું છે.

આ ઉપરાંત ઉપરોકત તમામ કાર્ડ હોલ્ડરોને કાર્ડ દીઠ, ૧ કિલો વધારાની ખાંડ  ૧ કિલોના ૧પ રૂ. અને રર પૈસા લેખે અપાશે. આ જથ્થો પણ મોકલી દેવાયો છે.

આમા અંત્યોદયકાર્ડ ધારકોને રૂ. ૧પ લેખે તો બીપીએલ કાર્ડ ધારકોને રૂ. રર લેખે ખાંડનું વિતરણ કરાશે.

(3:29 pm IST)