Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન - શહીદ વંદના

રાજકોટ : વિજયા દશમી નિમિતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સાંસ્કૃતિક પારંપરિક રીતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ અતિથિ વિશેષ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ માં ભવાનીનું સ્થાપન કરી પૂજા અર્ચન કરાઇ હતી. બાદમાં ક્ષત્રિય રાજપૂત સમાજના સશસ્ત્ર સેનામાં ફરજ બજાવી દેશ માટે પ્રાણોનું બલિદાન આપનાર વીર યોધ્ધાઓને યાદ કરી વીરાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં શાસ્ત્રોકત રીતે શસ્ત્રોનું પૂજન કરાયુ હતુ. કાગદડી ખોડીયાર આશ્રમના પૂ. શ્રી જયરામદાસ બાપુએ પ્રાસંગીક પ્રવચનમાં આશીર્વાદ વરસાવ્યા હતા.  આ પ્રસંગે કિશોરસિંહજી રાઠોડ, જગમાલજી હેરમા, બળદેવસિંહજી સિંધવ, અજયસિંહજી પરમાર વગેરે ઉપસ્થિત રહેલ. વ્યસન મુકિત અને સમાજ સેવાનો સંદેશો પ્રસરાવવામાં આવેલ. બહોળી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત બંધુઓ સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)