Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટ એસટી દ્વારા બે નવી બસ : રાજકોટ - બારડોલી વોલ્વો તો રાજકોટ - નારાયણ સરોવર એસી સ્લીપર કોચ મુકાઇ

રાજકોટ તા. ૨૭ : આજથી રાજકોટ એસટી તંત્રે બે નવી બસો શરૂ કરી છે, જેમાં એક વોલ્વો અને એક એસી સ્લીપર કોચનો સમાવેશ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ રાજકોટ - બારડોલી વચ્ચે વોલ્વો બસ રાત્રે ૮.૩૦ વાગ્યે તો બારડોલી - રાજકોટ વોલ્વો બસ બારડોલીથી સાંજે ૭ વાગ્યે ઉપડશે. આ બસના સ્ટોપ નડીયાદ - આણંદ - વડોદરા - સુરત - બારડોલી અપાયા છે.

બીજી એસી સ્લીપર કોચ રાજકોટ - નારાયણ સરોવરની શરૂ કરાઇ છે, જે રાજકોટથી રાત્રે ૮ વાગ્યે તો નારાયણ સરોવરથી સાંજે ૬ વાગ્યે ઉપડશે, આ બસ મોરબી - સામખીયાળી - ભચાઉ - ગોપીવાવ - આદીપૂર - અંજાર - ભૂજ - નખત્રાણા - માતાના મઢ - પાન્ધ્રો - વર્ષાનગર થઇને નારાયણ સરોવર પહોંચશે.

(11:42 am IST)