Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પૂ.સીતારામબાપુ દ્વારા રામમંદિર નિર્માણ માટે અનુદાન

રાજકોટઃ દેશની આઝાદીના ખરા લડવૈયા અને આધાર સ્તંભ સમા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ શિવકુંજ આશ્રમ ખાતે પૂ.સંતશ્રી સીતારામ બાપુની નિશ્રામાં અને પવિત્ર ધામ વિકાસ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સહમંત્રી શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ઉજવાઇ હતી.

આ પ્રસંગે જય ગણેશ સેવા ટ્રસ્ટ અને અખીલ ભારતીય સેવા સંઘના યુવાનોએ રાષ્ટ્રહિત માટે અધ્યાત્મ અને સંસ્કારને મહત્વ આપવા આહવાન કર્યું હતુ. આ અવસરે મંદિર નિર્માણ માટે પૂ. સીતારામ બાપુ દ્વારા એક માસનું પેન્શન રૂ.૨૬૧૮૧ આ પવિત્ર કાર્યમાં અર્પણ કરેલ. આ પ્રસંગે પૂર્વ મેયરશ્રી સુરેશભાઇ ધાંધલા, ભાજપાના શ્રી રમેશભાઇ રાઠોડ, સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી મહેશભાઇ લાધવા, ભદ્રેશભાઇ રમણા તથા પ્રભાતભાઇ પંડયા તથા ઉપસ્થિત રહેલ. સંચાલન શ્રી ચેતનભાઇ બારૈયા તથા આભારવિધિ ભદ્રેશભાઇ રમણાએ કરેલ.

(3:03 pm IST)