Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

મકાન -સિંચાઇ વિભાગના રોજમદાર કર્મચારીની ગ્રેચ્યુટી અંગે મહત્વનો ચુકાદો

રાજકોટ,તા. ૨૮: ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ની મેન્ડેટરી જોગવાઇઓ મુજબ માર્ગ અને મકાન/ સિંચાઇ સુધીના રોજમદાર સમયગાળા સાથેની સળંગ નોકરીની ગ્રેચ્યુઇટીની રકમ, વ્યાજ, શરૂઆતથી મેળવવા કામદારો કાયદાકીય હકકદાર છે. તેમ શ્રી એ.કે.શિહોરા, નિયંત્રણ અધિકારીશ્રી અને મદદનીશ શ્રમ આયુકતશ્રી, રાજકોટે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ હેઠળ મહત્વનો ચુકાદો આપેલ છે.

ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ - ગાંધીનગરના તાબા હેઠળની રાજકોટની કચેરીઓ (૧) કાર્યપાલક ઇજનેરશ્રી, શહેર માર્ગ અને મકાન વિભાગ, ડો. યાજ્ઞીક રોડ, રાજકુમાર કોલેજ સામે, રાજકોટમાં ગોવિંદભાઇ લીંબાભાઇ થોરીયા. રોજમદાર મજુર તરીકે તા.૧/ ૯/ ૧૯૮૧થી નોકરીમાં દાખલ થયેલ. કર્મચારી તારીખ ૩૧-૧-૨૦૧૪ના રોજ નિવૃત થયેલા. સંસ્થાએ ૧૧ વર્ષ પછી કાયમી થયેલા સમયગાળાના મળવાપાત્ર હકક હિસ્સાઓ ચુકવેલ હતા. પરંતુ રોજમદાર સમયગાળાની આગલા ૧૧ વર્ષની મળવાપાત્ર ગ્રેચ્યુઇટી રકમ, વ્યાજ, અનેક વખત રૂબરૂ સંસ્થા પાસે માંગણીઓ કરવા છતા ના ચુકવતા ના છુટકે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ હેઠળ નિયંત્રણ અધિકારીશ્રી અને મદદનીશ શ્રમ આયુકતશ્રી, રાજકોટ સમક્ષ કર્મચારીએ નમુનો 'એન'માં અરજી કરી સામાવાળાઓ પાસેથી ગ્રેચ્યુઇટીની રકમ, વ્યાજ સાથે મેળવવા શ્રી આર.પી.શાહ પ્રતિનિધિ, મારફત ગ્રેચ્યુઇટી કેસ નંબર ૭૨/૨૦૨૦થી દાદ માંગેલ.

નિયંત્રણ અધિકારીશ્રી, રાજકોટે ઉપરોકત બન્ને પક્ષકારોની રજુઆતો, લેખીત તથા મૌખિક દલીલો અને રજુ થયેલા આધાર પુરાવાઓ, દસ્તાવેજોને આધારે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ એકટની જોગવાઇઓના આધારે કામદારોની તરફેણમાં ફોર્મ 'આર' (નિયમ-૧૬) ગ્રેચ્યુઇટી રકમ ચુકવવા માટેની નોટીસથી તારીખ ૨૧/૧/૨૦૨૧ના રોજ કર્મચારીશ્રી ગોવિંદભાઇ લીંબાભાઇ થોરીયાને તેમની બાકી લ્હેણી નીકળતી ગ્રેચ્યુઇટીની રકમ રૂ. ૧,૧૭,૨૭૭ તથા. ૧/૩/૨૦૧૪થી જે તારીખે ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે ૧૦ % ટકા લેખે સાદા વ્યાજ સહીત કલમ -૮ની જોગવાઇ મુજબ દિન-૩૦માં કર્મચારીએ ચુકવવાનો આદેશ/ હુકમ નિયંત્રણ અધિકારીશ્રી રાજકોટ કર્મચારીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપેલ છે.

નિયંત્રણ અધિકારીશ્રી, સમક્ષ કર્મચારી વતી પ્રતિનિધિ તરીકે શ્રી આર.પી. શાહ હાજર રહી રજુઆતો કરેલ. 

(3:06 pm IST)