Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજકોટ રેલ્વે વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીઃ સ્ટેશનો પર પાણી અને કેન્ટીનનું ચેકીંગ

રાજકોટઃ રાજકોટ રેલ્વે વિભાગ દ્વારા ૧૬ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી 'સ્વચ્છતા પખવાડા'ની ઉજવણી કરી રહ્યું છે. તેના પધ્ધારને સજ્જ કરવા માટે સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ આ પખવાડિયા દરમિયાન સતત કરવામાં આવી રહી છે.  અભિનવ જેફના જણાવ્યા અનુસાર સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર વોટર પ્લાન્ટ, ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના અન્ય સ્ત્રોતોની આસપાસ સફાઇ કરવામાં આવી હતી. ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મેડિકલ વિભાગ દ્વારા વિવિધ સ્ટેશનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગના કેટરિંગ સ્ટોલ પર સ્વચ્છતા કરવામાં આવી હતી. ફુડ સ્ટોલ્સ પર ભીના અને સુકા ડસ્ટબિન ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

(4:06 pm IST)