Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

માજોઠીનગરમાં શહેનાઝબેનનો માનસિક બિમારીથી કંટાળી જઇ સળગીને આપઘાત

રાજકોટ તા. ૩૦: દૂધ સાગર રોડ પર માજોઠીનગરમાં રહેતાં શહેનાઝબેન ઓસમાણભાઇ ગજણ (ઉ.વ.૪૫) નામના મહિલાએ ૨૬/૯ના સવારે સાડા દસેક વાગ્યે બાજુમાં જ રહેતાં પોતાના માતા-ભાઇના ઘરમાં શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં થોરાળાના હેડકોન્સ. એસ. એન. ભીંસડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મુમતાઝબેન ઘર નજીક જ માવતર ધરાવે છે. ૨૬મીએ તેના માતા હોસ્પિટલે ગયા હોઇ અને ભાઇ વિકલાંગ હોઇ તેના ઘરનું કામ કરવા તેણી માતાના ઘરે આવી હતી. એ વખતે આ પગલુ ભરી લીધું હતું. માનસિક બિમારીથી કંટાળીને આમ કર્યાનું તપાસમાં ખુલ્યું છે. તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જે મા વિહોણા થઇ ગયા છે. પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.

(12:40 pm IST)