Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અમદાવાદથી પરત આવતી વખતે કુવાડવા પાસે બનાવ

રેલ કર્મચારી મનહરભાઇ રાઠોડનું આઇશરમાં બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પર ઓમ પાર્ક સોહમનગરમાં રહેતાં મનહરભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૮) અમદાવાદ કામ સબબ ગયા હોઇ ત્યાંથી આઇશર ગાડીમાં બેસી રાજકોટ આવતાં હતાં ત્યારે કુવાડવા જીઆઇડીસી પાસે પહોંચતા ચાલુ ગાડીમાં બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના ઇએમટી ધનજીભાઇ પરમારે મનહરભાઇને મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

હેડકોન્સ. જે. એમ. ઝાલાએ એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનહરભાઇ રાઠોડ રેલ્વે કર્મચારી હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:41 pm IST)