Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

બસ સ્ટેશન પાછળ હોટેલના રૂમમાં અમદાવાદના યુવાનનો આપઘાત

બે દિવસથી રૂમ બંધ હતોઃ ૨૪મીએ હોટેલમાં આવ્યો હતોઃ એકાદ માસથી ઘરેથી નીકળી ગયો હતોઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૩૦: અમદાવાદ વિરબાબા પાર્ક જગતપુર રોડ પર રહેતાં અને એક મહિનાથી ઘરેથી નીકળી ગયા બાદ ગત તા. ૨૪/૧૦થી રાજકોટ બસ સ્ટેશન પાછળ આવેલી હોટેલ સીટી પેલેસમાં રૂમ નં. ૧૦૧માં રોકાયેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બે દિવસથી રૂમનો દરવાજો ખુલ્યો ન હોઇ અને અંદરથી વાસ આવતી હોઇ હોટેલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં એ-ડિવીઝનના રવિભાઇ વાઘેલા સહિતે પહોંચી દરવાજો તોડીને જોતાં યુવાન લટકતો મળી આવ્યો હતો. હોટેલના રજીસ્ટરમાં પુનિત મહાદેવભાઇ પંચાલ (ઉ.વ.૨૫)ના નામની એન્ટ્રી છે. આ યુવાનના ખિસ્સામાંથી આધારકાર્ડ મળ્યું હોઇ તેના આધારે પરિવારજનોનો પણ સંપર્ક કરી પોલીસે જાણ કરી છે. સ્વજનો આવ્યા બાદ કારણ જાણવા મળશે.

(3:50 pm IST)