Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

'બાપા'એ રાજકોટમાં ૧૦ પૈસા ફાળો ઉઘરાવેલ

 પાકિસ્તાનથી બાંગ્લા દેશને અલગ કરવા ભારતે સૈન્ય મોકલ્યું હતું અને આ કામગીરી માટે થયેલા ખર્ચ પેટે કેન્દ્ર સરકારે ૧૦ પૈસા કર નાખ્યો હતો. દેશ પર આવેલી આર્થિક વિપતિમાં કેશુભાઇ પટેલે તે સમયે રાજકોટ સદર બજારમાં લોકડાયરાનું આયોજન કર્યું અને લોકો પાસે ૧૦ પૈસા ફાળો ઉઘરાવ્યો હતો. ત્યારની તસ્વીર રાજકોટના રમેશભાઇ વિદ્યારામ હરિયાણી મો. ૬૩પપ૪ ર૭૯૬૭) પાસે છે. તસ્વીરમાં કેશુભાઇ પટેલ, રમણીકભાઇ જાની, નટવરગીરી ગોસ્વામી, અમરકુમાર જાડેજા નજરે પડે છે.

(2:47 pm IST)