Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રૈયા રોડ શિવપરાના જયાબેન ગોસ્વામીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ હનુમાન મઢી પાછળ જુની ગણેશ વિદ્યાલય પાસે શિવપરા-૧મા રહેતાં જયાબેન કિરીટભાઇ ગોસ્વામી (ઉ.વ.૫૪) કેન્સરની બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. વી. પીપરોતર અને સંદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(10:31 am IST)