રાજકોટ
News of Friday, 2nd October 2020

મોહનથી 'મહાત્મા': બાપુના સંસ્કારોનું સિંચન એટલે 'કબા ગાંધીનો ડેલો'

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ર :.. રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ જયંતિ છે, દેશ તેમને વંદન કરી રહ્યો છે.

પરંતુ આપણે વાત કરવી છે, રાજકોટના કબા ગાંધીના ડેલાની ભલે, 'ગાંધીજીનું' જન્મ સ્થળ પોરબંદર રહ્યું, પરંતુ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ સાથે બાપુને અતુટ લગાવ રહ્યો હતો. બાપુના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દિવાન હતાં, મોહનદાસના જન્મને ૭ વર્ષ પછી તુરત જ કરમચંદ રાજકોટના દિવાન બન્યા, અને પૂરો પરિવાર રાજકોટ આવી વસ્યો... અને ત્યારથી ગાંધીજી સાથે રાજકોટ જોડાઇ ગયું.

પિતા કરમચંદ ગાંધી અને પરિવાર દરબારગઢ નજીક આવેલા મકાનમાં રહેવા લાગ્યા, ગાંધીને ગ્રામીણ વિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલ્યા...

રાજકોટના રાજવીએ ૧૮૮૧ માં પિતા કરમચંદ ગાંધીને મોંઘામાં મોંઘો ગણી શકાય એવો કિંમતી પ્લોટની ઓફર કરી, પરંતુ કરમચંદજીએ અડધો પ્લોટ સ્વીકાર્યો, આ પ્લોટ ઉપર મકાન બનાવાયું અને તે સ્થળ એટલે હાલ ઘી કાંટા, રોડ ઉપર આવેલ રાજકોટનો કબા ગાંધીનો ડેલો.

મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન એટલે આ કબા ગાંધીનો ડેલો.

(11:34 am IST)