પુસ્તક પરિચય : ધન્વી-માહી
પુસ્તક : સુરક્ષા કવચ
પુસ્તકનું નામ : સુરક્ષા કવચ
લેખક :સમણ શ્રુતપ્રજ્ઞ
પ્રકાશન :પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન, રાજકોટ
મૂળ કિંમત :૧૫૦ રૂપિયા
ડિસ્કાઉન્ટ સાથે કિંમત :૧૦૦ રૂપિયા
પ્રાપ્તિસ્થાન :
આભાવલય, વિનાયક વાટિકા સોસાયટી, માધાપર બસ સ્ટોપની સામે, જામનગર રોડ, રાજકોટ, પિનકોડ :૩૭૦૦૦૬
ફોન. ૯૪૨૭૩૬૬૧૬૪ ( ૧૧થી ૫ )
૧૧૨ પાનાના આ પુસ્તકમાં સમણજી કહે છે કે શરીરની રોગ પ્રતિકારક શકિત સારી હોય તો શરીરનું સુરક્ષાકવચ છે. વાતાવરણમાં રહેલું ઓઝોન પડ એ પર્યાવરણનું સુરક્ષા કવચ છે મનના વિચારો પોઝિટિવ અને સક્ષમ હોય તો એ મનનું સુરક્ષાકવચ છે, ભાવો પવિત્ર હોય, નિર્ભયવૃત્ત્િ। હોય અને શરીરની ઉપરના ચક્રો જાગૃત હોય તો એ આપણા અસ્તિત્વનું સુરક્ષાકવચ છે અને દીક્ષા એ ગુરુ દ્વારા પ્રદાન કરેલ શિષ્યનું સુરક્ષાકવચ છે. ચારેય બાજુ આપણે અશુભ ઊર્જાના સંક્રમણના પ્રભાવમાં છીએ ત્યારે, ૩૦ મિનિટનું ધ્યાન પોતાની ઉર્જાને શકિતશાળી બનાવવા સમર્થ છે. આ પુસ્તક બહારના બધા જ પ્રકારના નેગેટીવ સંક્રમણથી બચવા માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે એવો વિશ્વાસ છે. માધવી કનેરિયાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે.
આ પુસ્તકમાં સમજીએ કેટલાક મહત્વના મુદ્દાઓ પ્રસ્તુત કર્યા છે, જેવા કે 'આ સંકટ પરિવર્તનની તક છે, આપણે બધા જોડાયેલા છીએ, બહાર ન જઈ શકો તો અંદર જાઓ, સમય અને ઊર્જાને જીવનના અનિવાર્ય કામોમાં લગાઓ, ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી, પોતાની જાત સાથે રહેવામાં કેમ કંટાળો આવે છે? વગેરે મુદ્દા ચર્ચાયા છે.