રાજકોટ
News of Friday, 2nd October 2020

૩૦૪ કરોડના જી.એસ.ટી. કૌભાંડમાં જુનાગઢના સંજય મશરૂની જામીન અરજી ફગાવી દેતી રાજકોટ કોર્ટ

રાજકોટ તા.ર : રાજકોટના એડી. સેશન્સ જજ હીરપરાએ જીએસટીની રૂ.૩૦૪ કરોડની રકમની ઉચાપતના આરોપી સંજય મશરૂની જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે નવા અમલમાં આવેલ આ કાયદા હેઠળ સરકારી નાણાની આ પ્રકારની ઉચાપતને સહજતાથી લઇ શકાય નહી. જયારે વધુ આરોપીઓ સડોવણી સ્પષ્ટ થતી હોય અને તપાસ ચાલુ હોય ત્યારે જામીન આપી શકાય નહી.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, જુનાગઢના રહીશ સંજય મશરૂએ જીએસટીના કાયદા હેઠળ જુદા જુદા નામોથી પેઢીઓ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓનલાઇન અરજી કરેલ જે દસ્તાવેજો પણ અપલોડ કરેલ હતા. આ રીતે જુદા જુદા નામથી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ સંજય મશરૂ અને તેના બનેવી પ્રવિણ તન્નાએ વિવિધ પેઢીઓના બીલો બનાવી રૂ.૩૦૪ કરોડના જુદા જુદા વ્યવહારો અંગે ઇ-વે બીલો જીએસટીની સાઇટ ઉપર અપલોડ કરેલા હતા. આ પ્રકારના વ્યવહારો અંગે જીએસટીની અમદાવાદની મુખ્ય કચેરીને એક નનામી માહિતી મળેલ કે, સંજય મશરૂ અને પ્રવિણ તન્નાએ વિવિધ પેઢીના નામથી જીએસટીના રજીસ્ટ્રેશનો મેળવેલ છે અને અન્ય પેઢીઓએ મોકલાવેલ માલના બીલો આ બંને આરોપીઓ ખોટી રીતે બનાવી જી.એસ.ટી.ની રકમના સેટઓફ મેળવી સરકારી નાણાની ઉચાપત કરે છે. આ પ્રકારની માહિતી મળતા અમદાવાદ ઓીફસ રાજકોટ ઓફિસને તપાસનો આદશે આપતા રાજકોટ અ?ીફસે આ ખોટા રજીસ્ટ્રેશન વાળી પેઢીઓની ખરાઇ કરેલ.

આ દરમિયાન આ બંને આરોપીઓ અલગ અલગ વ્યકિતઓ પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવેલા હતા. જે દસ્તાવેજોના આધારે તેઓના નામે જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન કરાવી મોટી રકમનોવેપાર દર્શાવેલ હતો. આ રકમમાંથી જીએસટીના ટેક્ષની રકમ થતી હતી જે અંગે આ નાના વ્યકિતઓને કાંઇ જ માહિતી ન હતી. પરંતુ આરોપીઓ આ લોકોના નામે ખોટા વેપાર દર્શાવી અસલ વેપારીઓને જીએસટીની રકમની ઉચાપત કરાવતા હતા અને ખોટા સેટઓફ મેળવી આવતા હતા. તપાસ દરમિયાન જુનાગઢ જીએસટીના કન્સલ્ટન્ટ તથા એકાઉન્ટન્ટનું પણ નિવેદન નોંધેલ જેમાં તેઓના જણાવેલ કે ખોટા નામવાળી આ ૧૦ પેઢીઓ વતી  આ બંને આરોપીઓ જ આવતા હતા અને વ્યવહારો લખાવતા હતા.

એડી. સેશન્સ જજ શ્રી હિરપરા સમક્ષ જીએસટી વિભાગ વતી રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરાએ જણાવેલ હતું કે જીએસટી કાયદા હેઠળ જુજ ફરીયાદો થયેલ છે અને ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલા ખુબ જ ઓછા દાખલા હોવાથી સામાન્ય કાયદાની ત્રુટીઓ હોવી  સ્વાભાવિક છે. પરંતુ આરોપીઓ ઉપરની રેઇડ દરમિયાન અલગ અલગ વ્યકિતઓના નામના દસ્તાવેજ મળી આવવાથીત ે હકિકત સાબીત થાય છે કે આરોપીઓ ઓનલાઇન અરજીની પ્રોસીજરનો ગેરલાભ ઉઠાવી જુદા જુદા નામના જીએસ.ટી રજીસ્ટ્રેશન મેળવે છે અને ખરીદનાર વેપારીઓ પાસેથી જીએસટીની મોટી રકમ વસુલ કરી આવી રકમોની ઉચાપત કરવામાં મુળ વેપારીઓને મદદગારી કરી સેટઓફ કરાવી આપે છે. ત્યારે સરકારશ્રીએ ઘણી મોટી રકમનું નુકાસન ભોગવવુ પડે છે. આ ઉપરાંત જે પ્રક્રિયા વેપારી વર્ગની સહુલીયત અને સગવડતા માટે ઘડવામાં આવેલી છે. તેવી પ્રક્રિયાનો આ પ્રકારના આરોપી જયારે ગેરલાભ ઠાવતા હોય ત્યારે અર્થવ્યવસ્થા ઉપર સમયાંતરે ખુબ જ મોટી અવળી અસર પડે છે. આ ઉપરાંત આ કૌભાંડમાં આરોપીઓ સિવાય અન્ય કોઇવ્યકિતઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગેની તપાસ જયારે  વિભાગીય રીતે પ્રક્રિયામાં હોય ત્યારે આરોપીને જામીન મુકત કરી પુરાવા સાથે ચેડા કરવાની તક આપવા સમાન લાભ આપી શકાય નહી. શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ નામ. સેશન્સ કોર્ટે આરોપી સંજય મશરૂની જામીન અરજી રદ કરેલ છે

આ કેસમાં જીએસટી વિભાગ વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(1:00 pm IST)