આંબેડકરનગરમાં રૂા. ૯૦૦ ની ઉઘરાણી બાબતે હિરેન ચંદ્રપાલને છરી ઝીંકાઇ
પુનીતનગરના ભાવેશ ઉર્ફે સુલતાન સહિત બે સામે ગુનો
રાજકોટ તા. ૧પ : ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રૂા.૯૦૦ ની ઉઘરાણી બાબતે યુવાન પર બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ આંબેડકરનગર શેરી નં. ૧ (ઇ) માં રહેતો આર્યન ખીમજીભાઇ પરમાર (ઉ.ર૬) એ માલવીયા નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે મજુરી કામ કરે છે. અને હિરેનભાઇ શામજીભાઇ ચંદ્રપાલ પોતાના સગાસાઢુ થાય છે રાત્રે પોતે પોતાના સાળા દીલીપ મનુભાઇ ચૌહાણ બંને ગોકુલનગર શેરી નં. ૪/૬ ના ખુણો ઉભા હતા.ત્યારે પોતાના સાઢુ હિરેનભાઇ ચંદ્રપાલે મકરસંક્રાંતી ઉજવવા માટે આવેલા હોઇ, તેની સાથે ઉભા હતા ત્યારે પુનીતનગરમાં રહેતો ભાવેશ ઉર્ફે સુલતનટેણી રવજીભાઇ સરવૈયા તથા એક અજાણ્યો શખ્સ બાઇક પર આવ્યા હતા અને સાઢુ હિરેનભાઇને કહેવા લાગેલ કે, ‘તુ મારી પાસેથી રૂા.૯૦૦ લઇ ગયેલ છે તે લાવ તેમ કહી ગાળો દેવા લાગેલ અને હિરેનભાઇને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને બંનેએ છરી કાઢી હિરેનને ડાબા પગના સાથળના ભાગે ઝીંકી દીધેલ અને પેટના ભાગે મારવા જતા દીલીપ વચ્ચે પડતા તેને ડાબા હાથમાં ઇજા થઇ હતી. બાદ દેકારો બોલતા બંને શખ્સો બાઇક પર ભાગી ગયા હતા બાદ હિરેનભાઇને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.જાદવે તપાસ હાથ ધરી છ.ે