રાજકોટ
News of Wednesday, 16th September 2020

કુબલીયાપરાની ૭ વર્ષની નેહા કાંજીયાનું તાવ-આંચકી બાદ મોત

લાડકી દિકરીના મોતથી દેવીપૂજક પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: કુબલીયાપરામાં ડો. મુછડીયાના દવાખાના પાસે રહેતાં અશોકભાઇ વિનુભાઇ કાંજીયાની દિકરી નેહા (ઉ.વ.૭) રાતે બે વાગ્યે આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નેહા બે ભાઇની એકની એક બહેન હતી. તેના પિતા વાસણની ફેરી કરે છે. બે-ત્રણ દિવસથી નેહાને તાવ આવતો હતો અને રાતે અચાનક આંચકી ઉપડી જતાં પહેલા ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્યું હતું. બનાવથી દેવીપૂજક પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:56 pm IST)