રાજકોટ
News of Wednesday, 16th September 2020

પૂ.શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની કાલે લાઈવ ગુણાનુવાદ સભા

સંતો - સતીજીઓના સાંનિધ્યે : સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ આયોજન

રાજકોટ,તા. ૧૬: જુનાગઢના ધર્મ પરાયણ ભગવાનજીભાઈ અને ધર્મ વત્સલા લીલાવંતીબેન સંઘાણીના સુપુત્ર ગજેન્દ્રભાઈ સંઘાણી એટલે કે પૂજય શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા ૪૫ વર્ષ પૂર્વે ૨૨/૫/૭૫, વૈશાખ સુદ અગિયારના શુભ દિવસે જુનાગઢ,નેમનાથની ભૂમિમાં થયેલ.એક સાથે નવ - નવ આત્માઓનો સંયમ મહોત્સવ ઉજવાયેલ. તપસમ્રાટ, તપોધની પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબે કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ

પૂજય શ્રી ગજેન્દ્રમુનિ મ.સા.ની તબિયત પાંચ દિવસથી નાદુરસ્ત હતી. તેઓએ શુભ ભાવ વ્યકત કર્યા કે બસ,હવે મારા દેવલોક ગમનનો સમય આવી ગયેલ છે, મને સમાધિ ભાવે જ આ પાવન ભૂમિ ઉપર દેહનો ત્યાગ કરવા દેજો. આજે તા.૧૬ ના રોજ સમાધિભાવે પૂ.શ્રી કાળધર્મ પામેલ છે.

આવતીકાલે ગુરૂવારે સવારે સંત-સતીજીઓના સાનિધ્યે પૂ.શ્રીની લાઈવ ગુણાનુવાદ સભા ૯:૩૦ થી ૧૦:૩૦ યોજાશે.

(3:32 pm IST)