રાજકોટ
News of Thursday, 21st January 2021

પોલીસ અટકાયતમાંથી છૂટતા વેત ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગી કાર્યકર્તાઓ ત્રીજી વખત રાજકોટમાં ધરણાં અને અનશન પર બેસી ગયા

અત્યારે રાત્રે ૧૦ વાગ્યે રાજકોટના અકિલા સર્કલ રેસકોર્સ પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેમના ૮ સાથીદારો પોલીસની નાટકબાજી સામે ફરી અનશન ઉપર બેસી ગયા છે. રાજકોટ પોલીસે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત જાગૃતિ કાર્યક્રમ માટે આવતીકાલે ૨૨મી તારીખે ધ લાયન વોટરપાર્ક સામેના ગ્રાઉન્ડમાં ૧૫૦ ફુટ રોડ ઉપર કોરોનાની ગાઈડલાઈન મુજબ સભા આયોજનની પ્રેસનોટ દ્વારા  મંજૂરી આપી છે જે ફગાવી દેઇ અને હવે 27મીની નવી મંજૂરી માગી છે.

(10:52 pm IST)