રાજકોટ
News of Wednesday, 21st October 2020

મોરબી પેટાચુંટણી સંદર્ભે રાજકોટ મહીલા ભાજપ મોરચાનું સંમેલન

રાજકોટ : આગામી તા. ૩ ના યોજાનાર મોરબી વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજાને જંગી લીડથી વિજયી બનાવવા રાજકોટ શહેર ભાજપ દ્વારા ડોર ટુ ડોર લોકસંપર્ક શરૃ કરાયો છે. દરમિયાન આ કાર્યને વધુ વેગવંતુ બનાવવા મહિલા મોરચાનું એક સંમેલન પ્રભારી અંજલીબેન રૃપાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યુ હતુ. આ તકે અંજલીબેન રૃપાણીએ બહેનોને સંબોધી 'નારી તુ નારાયણી' અને 'નારી તુ ના હારી' જેવા સુત્રોને ચરિતાર્થ કરી બતાવવા હોંશભેર પ્રચાર કાર્યમાં જોડાઇ જવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નારી ઉત્થાનની અમલમાં મુકાયેલ યોજનાઓથી મોરબીના મહિલા મતદારોને માહીતગાર કરવા અપીલ કરી હતી. સંમેલન સમયની તસ્વીર નિહાળી શકાય છે.

(3:17 pm IST)