News of Saturday, 23rd January 2021
વાલ્મીકી વાડી પાસે કવાર્ટરમાં વનીતાબેને ઝેરી પ્રવાહી પી લેતા દાખલ
રૂખડીયાપરાની જરીના રાઠોડે ઝેરી દાવ પી લીધી
રાજકોટ,તા.૨૩ : જામનગર રોડ પર વાલ્મીકી વાડી પાસે આવાસ યોજના કર્વાટરમાં રહેતી મહિલા એ ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવાર માટે ખસેડાઇ છે.
મળતી વિગત મુજબ વાલ્મીકી વાડી પાસે આવેલા આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વનીતાબેન ગૌરવભાઇ લઢેર (ઉવ.૩૨) એ રાત્રે કોઇ ઝેરી પ્રવાહી પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જ્યારે બીજા બનાવમાં રૂખડીયાપરામાં રહેતી જરીના શબ્બીરભાઇ રાઠોડ (ઉવ.૨૨)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. જરીનાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા તેને સંતાનમાં એક વર્ષનો પુત્ર છે આ અંગે પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:26 pm IST)