જેલમાંથી પેરોલ જંપ કરનાર હત્યાનો કેદી વિશાલ ઉર્ફે ટકો પકડાયો
રાજકોટ, તા., ૨૫: ભકિતનગર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા થયેલી હત્યાનો કેદી જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ ફરાર થઇ જતા તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઢેબર કોલોનીના કવાર્ટરમાંથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ ફરાર કેદીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, વિક્રમભાઇ, એશુમાનભાઇ, પ્રતાપસિંહ, ક્રિપાલસિંહ, દેવાભાઇ અને જીજ્ઞેશભાઇ સહીત પેટેલીંગમાં હતા ત્યારે વિક્રમભાઇ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ ફરાર કાચા કામનો કેદી વિશાલ ઉર્ફે ટકો કાળુભાઇ ચૌહાણ (ઉ.વ.ર૧) (રહે. ઢેબર કોલોની ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૧૧ર)ને પકડી લીધો હતો.